Himmat manushy no sacho mitra - 1 in Gujarati Human Science by Hiten Kotecha books and stories PDF | હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 1.

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 1.

ડર માણસ નો મહા દુશ્મન. ડર થી જીવવું એટલે આમ તો ના જીવવા બરોબર. જીવન માં જો કોઈ કામ કરવું હોય તો બીજા બધા કામ છોડી ડર ને ખતમ કરવો જોઇએ.

1.હિંમત માણસ નો સાચો મિત્ર છે.

2. હિંમત ની મનુુુષ્ય ને ડગલે ને પગલે જરૂરત છે.

3. હિંમત વગર બીજા સારા ગુુુણો ની બહુ કિંમત નથી.

4. કોઈ પણ મોટું કામ કરવામાં માણસ પાસે સાધન નો સગવડ નો અભાવ નથી હોતો પણ હિમત નો અભાવ હોય છે.

5. સો ગુુુણો માંં થી કોઈ એકજ ગુણ ની પસંદગી કરવાની હોય તો માણસે હિંમત ની કરવી જોઇએ.

માણસ ને ડર લાગવા ના અનેક કારણો છે તે કારણો માં એક કારણ છે માણસ જે કામ કરતા ડરે છે તેના થી દૂર ભાગે છે. સમજો ધારો કેે તમેં s.s.c. માં છો. તમે આગલી રાત્રે નકકી કરીને સુતા કેે કાલે સવાર થી વાચવા જરૂર જઈશ, પણ તમે તમારા વિષય થી ડરો છો.તમેં ભૂગોળ થી ડરતા હો તો સવારે જાગીને તમે કહેશો હવે મારે આજે વાંચવા નથી જવું કારણકે રાત્રે હું મોડો સૂતેલો અને તમે તમારી જાતને જ કહેશો કે જવા દે હું કાલે વાચવા જઈશ, પણ તમે તમારા વિષય થી ડરો છો એટલે તમે મન ને મનાવો છો.અથવા કહેશો કે જવા દે મૂડ નથી. પણ સાચું કારણ છે કે તમે ડરો છો.હવે તમે વિચારો તમે આજે ના ગયા એટલે કાલે આ ડર હજી વધશે કાલે તમે ડર ને કારણે હજી પાછું ઠેલશો.
આમ આ એક વિષચક્ર બનશે. પણ જો તમે થોડા વિચાર પર સજગ થાઓ અને ખોટા વિચારો ને શરણે ના જાવ અને તરત વાંચવા બેસી જાઓ તો ડર તરત ચાલ્યો જાય.

આવીજ રીતે તમે ભણી ને બહાર આવો અને અને કોઈ પણ બિઝનેસ માં લાગો ત્યારે તમે આજ કરો છો. ધારો કે કાલે તમારે કોઇ મહત્વ ના સાહેબ ને મળવા જવાનું છે. હવે તમને ડર છે કે સાહેબ બહુ કડક છે, અને કદાચ અપમાન પણ કરે. તમે આગલે દિવસે નક્કી કરો કે કાલે જઇ આવીશ. પણ સવારે જાગી ને તમે તમારા મન ને કહો છો આજે નહી કાલે જઈશ. તમે જ તમારા મન ને કહેશો કે આજે બીજા કામ પતાવી લઉં. કારણ આ એક ડર જ છે.તમે ગમે તેમ કરી ને કામ કાલ પર ઠેલી દો છો. હવે બીજે દિવસે એ ડર વધવા નો જ છે. અને મોટા ભાગ ના લોકો મહત્વ ના કામ પાછળ ઠેલતા જ જાય છે.

આવા ડર થી તાત્કાલિક છુટકારો મેળવવો જ જોઈએ. તેના માટે તમે જે કર્મ થી ડર તા હોય તે કર્મ તરત કરી નાખવું જોઇએ.જેમ તમે કર્મ કરતા જઈશો તેમ તમને ખબર પડતી જશે કે આમાં કાઈ ડરવા જેવું કંઈ નથી. અને જ્યારે તમે કર્મ પુરૂ કરશો ત્યારે એક મહા આનંદ ની અનુભુતિ કરશો.

તો મિત્રો, આ દુનિયામાં ડર જેવું કંઈ છે જ નહીં. અને ક્યારેય ડર કયાંય થી આવતો નથી.તે મુળ આપણા વિચારો નું ફળ છે. કાયમ યાદ રાખજો જે કર્મ કરવાનું છે તે તમારે જ કરવાનું છે. તે કર્મ ને જો તમે તરત નહીં પતાવો તો એ કર્મ જેમ સમય જતો જશે તેમ વધુ વિકરાળ થતું જશે અને તેમ તમને વધુ ને વધુ ડરાવશે. એટલે જે કર્મ કરવાનું હોય તેને તરત કરો અને તમને સંતોષ અને આનંદ ની લાગણી થશે.

ડર લાગવાના ઘણા બીજા કારણો છે તે આપણે ફરી ચર્ચા કરીશું. પણ હમણાં એક વાત નક્કી કરી લો કે હવે જ્યારે પણ મારી સામે કર્મ આવશે અને જો એ કર્મ મને અઘરું લાગતું હશે તો હું તેને પહેલા તરત કરી દઈશ.

આ દુનિયામાં કોઇ કર્મ અઘરું કે સહેલું હોતું જ નથી ફક્ત આપણા બધા મન ના ખેલ છે. મન ના કહેવા કરતા આપણા વિચારો ના ખેલ છે. જો તમે ખોટા નેગેટિવ વિચારો ને શરણે ના જાઓ તો કોઈ કર્મ અઘરું છે જ નહીં.

તો અઘરા કર્મ તરત અને પહેલા કરો અને મહાઆંનદ કરો.

..........thank you.